ચોમાસામાં મળતું આ શાક છે ‘પાવરહાઉસ’, મટન-ચિકન કરતાં પણ છે વધુ શક્તિશાળી

કંટોલા કે કંકોડામાંથી વિટામિન સી પૂરતી માત્રામાં મળે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો.

વરસાદની મોસમમાં લીલા શાકભાજીની આવક ઓછી થઇ જાય છે. ત્યારે ગુજરાતના ખેતરોની વાડ પર કોઇપણ સંભાળ વગર થઇ જતી એક શાકભાજી ઘણી જ પૌષ્ટિક હોય છે. ગામડાંઓમાં તો આના ઢગલે ઢગલા હોય છે. પરંતુ શહેરોમાં આ શાકભાજીના ભાવ આસમાને હોય છે. આ પૌષ્ટિક શાકભાજીનું નામ કંકોડા છે. આ કાંટાવાળા શાકને કંટોલા પણ કહેવામાં આવે છે. ત્યારે આ સંજીવની સમાન શાકની ખાસિયતો પણ આજે આપણે જોઇ લઇએ.

કંટોલા કે કંકોડામાંથી વિટામિન સી પૂરતી માત્રામાં મળે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો. આ શાકભાજીમાં ફાઈબર, વિટામિન બી6 વગેરે જેવા પોષક તત્વો પણ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે, જે શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે. જો તમે આ શાકને તમારા આહારમાં સામેલ કરો છો તો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પણ બચી શકો છો.

રાયબરેલીના આયુષ મેડિકલ ઓફિસર ડો. સ્મિતા શ્રીવાસ્તવે (BAMS આયુર્વેદ લખનૌ યુનિવર્સિટી), Local18 ને જણાવ્યું છે કે, ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજી કારેલા કે લીલી લીચી જેવી લાગે છે. આ શાક ચિકન અને મટન કરતાં પણ વધુ શક્તિશાળી છે. આ ઉપરાંત તેમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. જે ઘણી ગંભીર બીમારીઓથી બચાવવામાં અસરકારક છે.

ડો. સ્મિતા શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું છે કે, આ શાકભાજી માત્ર ચોમાસાની ઋતુમાં થોડા મહિના સુધી જ થાય છે. તેમાં ઘણા પ્રકારના ફાયટોન્યુટ્રિઅન્ટ્સ, આયર્ન, પ્રોટીન, વિટામિન્સ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તેની એક વિશેષતા એ પણ છે કે તે કોઈપણ ખર્ચ અને મહેનત વગર સરળતાથી ઉગી જાય છે. મુખ્યત્વે દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ઉત્તર પ્રદેશના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. વરસાદની મોસમમાં તે 150થી 180 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સરળતાથી મળી રહે છે.

ડો.સ્મિતા શ્રીવાસ્તવે આ અંગે વધુ જણાવ્યું છે કે, કંટોલાનું શાક વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. તેમાં હાજર ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. કંટ્રોલા આપણા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. જે લોકોને ડાયાબિટીસ છે તેમના માટે આ શાકભાજી ખૂબ જ ફાયદાકારક છે. આ શાકભાજીમાં રહેલું ફાઈબર આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે કારણ કે તેમાં લ્યુટીન અને કેરોટીનોઈડ્સ મળી આવે છે. તેથી જ તેને જાદુઈ શાક પણ કહેવામાં આવે છે.

Leave a Comment